જતનબાને શ્રીહરિને વિષે અનન્ય પ્રીતિ અને મમત્વભાવ હતો.જતનબા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્ત્રી પાત્રોમાં અવલ્લ સ્થાન ધરાવતાં હતાં. શ્રીહરિ પણ જતનબાને વશ વર્તતા. અનંત જીવોના મોક્ષના સદાવ્રત તેમના ઘરેથી ખુલ્લા મૂકતા.જતનબાનાં દિવ્યજીવનમાંથી મહારાજને રાજી કરવાની દિવ્ય રીત શીખીએ અને એમના જેવી પ્રેમલક્ષણા ભક્તિ કેળવીએ એ જ એમના દિવ્યજીવનને માણ્યાની ફલશ્રુતિ છે.
|